
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાની 49મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
વિનોદ ભાવસાર અરવલ્લી..
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા આજરોજ તેની 49મી વાર્ષિક સાધારણ સભા શ્રીમતી ચંદ્રિકાબેન કિરીટકુમાર શાહ સભાગૃહ સર્વોદય હાઇસ્કૂલ, મોડાસામાં મળી હતી. જેમાં સભાનું અધ્યક્ષ સ્થાન પ્રમુખશ્રી રમણભાઇ પ્રજાપતિએ સંભાળ્યું હતું. પ્રમુખશ્રીની મંજૂરીથી સભાનું કામકાજ એજન્ડા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સભાની શરૂઆત મંત્રી શ્રી મુકુન્દ એસ . શાહે ગણેશ સ્તુતિથી કરી હતી. ત્યારબાદ એસોસિએશનના સભ્યો, તેમના સ્વજનોના દુઃખદ અવસાન થવાથી સ્વજનો ગુમાવવા થી દુઃખની લાગણી અનુભવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ત્યારબાદ પ્રમુખશ્રી રમણભાઇ પ્રજાપતિએ સૌ પધારેલ સભ્યશ્રીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગતસભાનું પ્રોસિડિંગ મંત્રી શ્રી મુકુન્દ એસ શાહે વંચાણે લઇ સર્વાનુમતે મંજૂર કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2023 24 ના હિસાબો ખજાનચી ની અનુપસ્થિતિમાં મંત્રી મુકુન્દ એસ શાહે સભા સમક્ષ રજૂ કર્યા હતા અને વંચાણે લીધા હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. ત્યારબાદ મંત્રી શ્રી મુકુન્દ એસ શાહે વર્ષ દરમિયાન ની પ્રવૃત્તિ નો અહેવાલ તારીખ પ્રમાણે રજૂ કર્યો હતો જેને સૌએ હર્ષભેર વધાવ્યો હતો. ત્યારબાદ આદરણીય શ્રી ઈસ્માઈલભાઈ દાદુએ આગામી વર્ષ 2024 -25 માં એસોસિયેશન ની સુવર્ણ જયંતિ નિમિતે આગામી 14 ઓગસ્ટ ના રોજ તિરંગા યાત્રા માં સૌને જોડાવા આહવાન આપ્યું. ત્યાર બાદ પ્રોગ્રામ કન્વીનર મયુરભાઈ બૂટાલા એ આગામી કાર્યક્રમની માહિતી આપી. સોવેનીયર કન્વીનર જગદીશભાઇ ભાવસારે સોવેનીયર માટે જાહેરાત ની વાત કરી જયારે ફંડ કન્વીનર સલીમભાઇ દાદુ એ આગામી પ્રોગ્રામ માટે ફંડ ની વાત કરી. ત્યારબાદ શ્રી પંકજભાઈ બૂટાલા એ એસોસિયેશન અને મંડળી ની વાત કરી.