મળતી માહિતી મુજબ માણસા 41 ગામ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ગુરુમાઇના જન્મદિવસ અંતર્ગત સત્સંગ કાર્યક્રમનું આયોજ કરાયું હતું. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય જે એસ પટેલ, ભાજપ અગ્રણી દિનેશભાઇ વ્યાસ, ભાજપ આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.


ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત તમામે ગુરુમાઇના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું સન્માન કરાયું હતું