અરવલ્લી જીલ્લાના ભિલોડાનગરના હાર્દસમા ભિલોડાનગરના હાર્દસમા નારણપુર-નારસોલી રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્યરહેણાંક વિસ્તારમાં આવેલ નારણપુર – નારસોલી રોડ પર ઘણી બધી રહેણાંક સોસાયટીઓ આવેલી છે.
નારણપુર – નારસોલી રોડ પર વાહન વ્યવહાર અને માણસોની અવર – જવર થી સતત ધમધમતો રહે છે ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, હાર્દસમા નારણપુર – નારસોલી રોડ પર જાણે કે, *” એટલા બધા મસમોટા ખાડાઓ પડેલા છે કે ન પુછો વાત રોડ ઉપર ખાડા છે કે ખાડા માં રોડ છે એ નક્કી કરવું મુશ્કેલ છે “* પરંતુ રાજકીય નેતાઓ સહિત વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ ને આ કેમ દેખાતું નથી ? હવે ચોમાસુ સિઝન પણ નજીક છે ત્યારે આ મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જશે ત્યારે સ્કુલમાં ચાલી ને જતા વિદ્યાર્થીઓ અથવા સાઈકલ લઈને જતા વિદ્યાર્થીઓ, નાના – મોટા વાહનો ના ટાયર ખાડામાં પડવાથી વાહનમાં પંચર, ટેકનિકલ ફોલ્ટ થાય તેમજ વાહન નું વ્હીલ એલાઈમેન્ટ બેલેન્સીગ બગડે, ક્યારેય ખાડાઓના કારણે ગંભીર અકસ્માત સર્જાય તેવી દહેશત છે.
ચોમાસા દરમિયાન મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય જેના કારણે વિદ્યાર્થીઓ અને રાહદારીઓના કપડા બગડી જાય અને ભીના થઈ જશે, ત્યારે સાવચેતીના ભાગરૂપે ભિલોડાનગરના જવાબદાર જાગૃત નાગરિકો સહિત વાહન ચાલકોએ જણાવ્યું કે, અરવલ્લી જીલ્લા અને ભિલોડા તાલુકા કક્ષાના વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા સત્વરે વિનંતી છે કે, ભિલોડાનગરના હાર્દસમા નારણપુર – નારસોલી રોડ નું વહેલી તકે યોગ્ય રીતે નિરીક્ષણ કરીને સત્વરે વ્યવસ્થિત રીતે સમારકામ ચોમાસાની સિઝન પહેલા થાય એ તાતી જરૂરિયાત છે.

વિનોદ ભાવસાર
By The Press Solution
એસ. જી. હાઈવે પર રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે અમદાવાદ હાટ બનાવાશે