આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાગપર ખાતે કિશોરી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દર અઠવાડીએ કરવામાં આવે છે. આ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીયોને એચબી, વજનની તપાસ અને સાથે સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાગપર ગામના સરપંચ, સીએચઓ કેતન શર્મા, એફએચડબલ્યુ દિપીકાબેન જોશી, એમપીએચડબલ્યુ મહાદેવભાઈ બારડ, આશા વર્કર રેખાબેન સાધુ, આશા ફેસિલેટર ત્રિવેણીબેન વાળંદ અને મોટી સંખ્યામાં વિસ્તારની કિશોરીઓ ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

By The Press Solution