Monday, June 9, 2025
spot_img
HomeGujaratભૂરિયા ગામમાં 11મુખી હનુમાનજી ધામ ખાતે વિશ્વ કલ્યાણ માટે સતત 190મા શનિવારે...

ભૂરિયા ગામમાં 11મુખી હનુમાનજી ધામ ખાતે વિશ્વ કલ્યાણ માટે સતત 190મા શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો

થરાદ તાલુકાના ભૂરિયા ગામે વલાદર રોડ ઉપર ખેતરમાં આવેલા 11મુખી હનુમાનજી ધામ ખાતે કોરોના કાલથી સેવાની ધૂણી ધખાવી બેઠેલા મહંત ઘેવરદાસજી મહારાજ ના પાવન સાનિધ્યમાં તેમના ગુરુદેવ જગદગુરુ વાસુદેવાચારયજી મહારાજ કુબાજી દ્વારાચારયજી જીથડા રાજસ્થાન ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત વર્ષની જોધપુરી લાલ પથ્થરમાંથી નિર્મિત 31 ફૂટ ઉંચી એક માત્ર વિરાટ પ્રતિમા નિર્માણ પામી રહી છે ઉડીસાના કારીગરો દ્વારા શિલ્પ કળા ના અદભૂત નમૂનારૂપ કોતરણી કામ કરી અદભૂત મૂર્તિ નુ સર્જન કરેલ છે આ અદભૂત નકશીકામ કામવાળી કોતરણીવાલી 11મુખી હનુમાનજીની મૂર્તિ જોવા માટે તથા દાદા ના સાનિધ્યમાં શનિવાર ભરનારની મનોકામના પૂર્ણ થાય છે તેવી લોક માન્યતા ને કારણે દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી રહ્યો છે આ સ્થાન ના મહંતશ્રી ઘેવરદાસજી મહારાજ દ્વારા જગત કલ્યાણ માટે કોરોના કાલથી સતત દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાની શ્રુંખલા માં આજે સતત 190મો સુંદરકાંડ પાઠ મહંતશ્રી ઘેવરદાસજી મહારાજ ના શ્રીમુખે યોજાયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x