રાજેશ ચાવડા હિંમતનગર: આજરોજ તા. ૩૧. ૦૫. ૨૦૨૫ ને શનિવારે સાબરડેરીના ખેડબ્રહ્મા શીતકેન્દ્ર ખાતે અમૂલ પાર્લર નવીન બિલ્ડીંગનુ ઉદ્ઘાટન સાબરડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલના વરદહસ્તે અને સાબરડેરીના વાઈસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ, નિયામક મંડળના સદસ્યશ્રીઓ રામભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, સુભાષભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, કાન્તિભાઈ પટેલ તથા સંઘના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમા તથા સંઘના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમા સંપન્ન થયો

અમૂલના ગ્રાહકોને સાબર ડેરીના આ નવિન અમૂલ પાર્લરથી શ્રેષ્ઠ સગવડો સાથે લોકપ્રિય અને વિશ્વસનીય એવી અમૂલ દૂધ અને દૂધની બનાવટો ઉપલબ્ધ થશે. સાબર ડેરી દ્વારા ટૂંક સમયમા ખેડબ્રહ્મા શીતકેન્દ્ર ખાતે અમૂલ કાફે શરૂ થયે ગ્રાહકોને અમૂલની પ્રોડક્ટમાથી બનાવેલ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ નાસ્તા અને ભોજનના અવનવા વ્યંજનો ઉપલબ્ધ થશે. સાબરડેરીના ચેરમેનશ્રી દ્વારા આ પ્રસંગે અંબાજી તથા ખેડબ્રહ્મા માતાજીના દર્શનાર્થે જતાં સંઘના અમૂલ પાર્લર અને કાફેનો લાભ લેવા ગ્રાહકો અને દૂધ ઉત્પાદક સભાસદોને ખાસ આગ્રહ કરવામા આવ્યો હતો.