હાલમાં ચાલી રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થીતીના કારણે પોલીસે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતુંજેમાં અરવલ્લી જિલ્લાના એ.એસ.પી સંજયભાઈ કેશવાલા ની અધ્યક્ષતામાં અને ટાઉન પી.આઈ એ.બી ચૌધરી તેમજ ટાઉન પીએસઆઇ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડાસા શહેરના દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભારત અને પાકિસ્તાન ની હાલની સ્થિતિને લઈ એએસપી સંજયભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ખોટી અફવા વાળા સમાચાર ફેલાવા નહીં સાચી માહિતી સમય અંતરે સરકાર શ્રી ના જવાબદારો દ્વારા પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે તમામ ભારતીયો એ અંદરો અંદર અંતરવિજ્ઞ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેવો જણાવવામાં આવ્યું હતું સરહદ ઉપર મોરચો સંભાળીને બેઠેલા આપણા સૈનિકોનું મનોબળ વધે તે રીતે દરેક ભારતીય પ્રયાસો કરવા હાલની પરિસ્થિતિ ને લઈ અરવલ્લી જિલ્લામાં તારીખ 10 મેથી 15 મી સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન તોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે કોઈ તેનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ: યોગેશ શાહ, મોડાસા