NDA ગઠબંધનના નેતા નરેન્દ્ર મોદી આજે ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જેમાં ઘણા વિદેશી મહેમાનો અને સ્થાનિક નેતાઓને આમંત્રણ આપવામાં મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષને અપાયું આમંત્રણઆવ્યું છે. દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી આ સિદ્ધિ મેળવનારા બીજા રાજનેતા હશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં TMC નેતા મમતા બેનર્જી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ પર વિપક્ષી નેતાઓએ આ પ્રતિક્રિયાઓ આપી હતી. ટીએમસીના વડા મમતા બેનર્જીએ શપથ ગ્રહણમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આજે પ્રધાનમંત્રી મોદી અને નવી કેબિનેટ શપથ ગ્રહણ કરશે, જેમાં વિદેશી સહિત સ્થાનિક મહેમાનો ઉપસ્થિત રહેશે. આ શપથ ગ્રહણ સમારોહને લઈ રાજધાની દિલ્હીમાં ઝડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.