Sunday, June 8, 2025
spot_img
HomeIndiaઆવતીકાલે ત્રીજી વાર પ્રધાન સેવક તરીકે શપથ લેશે નરેન્દ્ર મોદી

આવતીકાલે ત્રીજી વાર પ્રધાન સેવક તરીકે શપથ લેશે નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ ચોંકાવનારું આવ્યું છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર એનડીએ ગઠબંધનના નેતા તરીકે બધા સાથી પક્ષોએ નરેન્દ્ર મોદી પર વડાપ્રધાન તરીકે પસંદગી ઉતારી છે. નરેન્દ્ર મોદી આવતીકાલે એટ્લે કે રવિવાર અને 9 જૂનના રોજ ત્રીજી વાર પ્રધાનમંત્રી પદ માટે શપથ ગ્રહણ કરશે. ભાજપનું 400 પારનું સપનું રોણાયું છે. આ લોકસભા ચુંટણીમાં ક્યાયકને ક્યાક વિપક્ષી ગઠબંધનને કમબેક ફાઇટ આપી છે.

રાષ્ટ્રપતિને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,
“18મી લોકસભા નવી ઉર્જા, યુવા ઉર્જા અને કંઈક કરી છૂટવાની હામ સાથેની લોકસભા છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આ પહેલી ચૂંટણી છે. આ એક પ્રકારના એવા 25 વર્ષ છે, જે આપણાં અમૃતકાળના 25 વર્ષ છે.”

ભાજપ અને NDAના નવા ચૂંટાયેલા સાંસદો શુક્રવારે મળ્યા હતા, જેમાં તમામ પક્ષોએ તેમના નેતા તરીકેના નામમાં નરેન્દ્ર મોદી પર પસંદગી ઉતારી હતી. તેમને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો કર્યો કરી દીધો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ NDA નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.
9 જૂનના રોજ સાંજે 07:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે. NDA નેતાઓના સમર્થનના પત્રો મળ્યા બાદ, રાષ્ટ્રપતિને જાણવા મળ્યું કે NDA 18મી લોકસભામાં બહુમતી મેળવવાની સ્થિતિમાં છે. જે પછી, ભારતના બંધારણની કલમ 75(1) હેઠળ, રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને ભારતના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
એકતરફ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ધમધોકાટ તૈયારીઓ ચાલી રહી છે, તો બીજીતરફ કેબિનેટમાં મંત્રી પદ મેળવવા માટે ધમપછાળા જોવા મળી રહ્યા છે. ભાજપ લોકસભા ચૂંટણી-2024માં એકલા હાથે બહુમતી મેળવી શકી નથી, તેથી તેણે એનડીએમાં સામેલ પક્ષોનું પણ સાંભળવું પડશે. નવી સરકાર બનાવ્યા પહેલા ભાજપે બે સહયોગી પક્ષો તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબૂ નાયડુ અને જનતા દળ યુનાઈટેડના વડા નીતીશ કુમારની ડિમાન્ડ પુરી કરવી પડશે.

 

 

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x