મોડાસા તાલુકાના શિનાવાડ ગામના ગોવિંદભાઇ કોહ્યાભાઇ પરમારનો નિવૃત્તિ સન્માન સત્કાર સમારંભ તેમના ગામમાં સગા સંબંધી અને મિત્રોની હાજરીમાં યોજાઈ ગયો .પોલીસ કોન્સ્ટેબલથી શરૂઆત કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીની 37 વર્ષ સુધીની સફર પુરી કરીને માદરે વતન આવેલા ગોવિંદભાઇના સન્માન સમારંભનો સંતોએ દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મોડાસીયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળના પ્રમુખ ડો.એચ.કે.સોલંકી, મંત્રી જે.ડી.પરમાર તેમજ આંતરિક ઓડિટર ડો.આર.એન.પરમાર અને મોડાસાના દિનેશભાઇ પટેલ વગેરેએ મંડળ વતી શાલ, બુકે આપી નિવૃત્તીમય જીવન સમાજ ઉપયોગી રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગ્રામજનો, સંતો, સગા સંબંધીઓ અને મિત્રોએ મોટી સંખ્યામાં હાજર રહી તેમનું દીર્ઘ જીવન તંદુરસ્ત રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી, તેમના મોટાભાઈ પ્રવિણભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.