Sunday, June 8, 2025
spot_img
HomeGujaratપહલગામ આતંકી હુમલાને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત

પહલગામ આતંકી હુમલાને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત

પહલગામમાં આતંકવાદી હુમલામાં ગુજરાતીઓના મોતથી રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. ભાવનગરના યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું આ હુમલામાં મોત થયું છે. મુખ્યમંત્રી ભાવનગર પહોંચ્યા અને આવતીકાલે તેમની અંતિમવિધિમાં હાજરી આપશે. યતિશભાઈ અને સ્મિત મોરારી બાપુની કથામાં ભાગ લેવા શ્રીનગર ગયા હતા. કથા બાદ પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી ભાવનગરમાં આક્રોશ ફેલાયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x