ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 17 એપ્રિલ 2025ના રોજ રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00 કલાકે યોજાનારા આ મેળામાં 18 થી 35 વર્ષની વયના ધો.10, ધો.12, આઈટીઆઈ, ડિપ્લોમા અને સ્નાતક ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. આ ભરતીમેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF912052983 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના 1 માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારો પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી, લાગુ પડતી જાતિ અંગેનુ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવું.
