Sunday, June 8, 2025
spot_img
HomeGujaratGandhinagar: 30 એપ્રિલ સુધીમાં રેશનકાર્ડ e-kyc કરવી ફરજિયાત

Gandhinagar: 30 એપ્રિલ સુધીમાં રેશનકાર્ડ e-kyc કરવી ફરજિયાત

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, 1 મે, 2025થી રેશનકાર્ડને એક્ટિવ રાખવા માટે તમામ કેટેગરીના રેશનકાર્ડ ધારકોએ 30 એપ્રિલ, 2025 સુધીમાં ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે.ઈ-કેવાયસી કરાવવા માટે ગાંધીનગર જિલ્લાના રેશનકાર્ડ ધારકો મામલતદાર કચેરી, પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત અથવા નજીકની વાજબી ભાવની દુકાનનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, My Ration મોબાઈલ એપ દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકાય છે. જે રેશનકાર્ડ ધારકો 30 એપ્રિલ, 2025 સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવે તેઓને સરકારી યોજનાઓના લાભ મળતા બંધ થઈ જશે.

ઘરે બેઠા કરો e- kyc  

My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી / કર્મચારી, વીસીઈ, આચાર્ય, શિક્ષકો, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, પોસ્ટ માસ્ટર તથા સરકાર માન્યા વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન મારફત, તાલુકાની મામલતદાર કચેરીએ પુરવઠા શાખા મારફત ઈ કેવાયસી કરાવી શકાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x