Sunday, June 8, 2025
spot_img
HomeGujaratગાંધીનગરના સરઢવ ગોગાધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો 

ગાંધીનગરના સરઢવ ગોગાધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો 

ગાંધીનગરના સરઢવ ગામે ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો-પશુપાલકોને પ્રાકૃતિક ખેતી અને ગૌપાલનનું મહત્વ સમજાવ્યું. તેમણે ગુજરાતના સાડાનવ લાખથી વધુ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાને ક્રાંતિ ગણાવી અને રાસાયણિક ખેતી છોડી પ્રાણ આપનારા બનવા આહવાન કર્યું.
શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે સંતોના કાર્યને બિરદાવી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓની વાત કરી. તેમણે રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિના પ્રયાસોની પ્રશંસા કરી વધુ ખેડૂતોને તે અપનાવવા અનુરોધ કર્યો.કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, પૂર્વ મંત્રી વાડીભાઈ પટેલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે યુવાપેઢી માટે ગોગાધામને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x