કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો આવતીકાલ, ૮મી એપ્રિલથી અમલમાં આવશે. મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા મધ્યમ વર્ગ માટે આ સમાચાર વધુ એક આંચકારૂપ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સીધી અસર વાહનચાલકો અને પરિવહન ક્ષેત્ર પર પડશે. જેના પગલે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતા પર વધુ આર્થિક બોજો પડશે તે નિશ્ચિત છે. આ ભાવવધારા અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
