વક્ફ સુધારા બિલ 2025 ને લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ મોડી રાત્રે લાંબી ચર્ચા પછી મંજૂરી મળી ગઈ છે, જેમાં બિલની તરફેણમાં 128 અને વિરોધમાં 95 સભ્યોએ મતદાન કર્યું હતું અને હવે આ કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. વિપક્ષ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ બિલને મુસ્લિમ વિરોધી ગણાવીને ભારે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે આ સુધારા કર્યા હોવાનું જણાવ્યું હતું. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બિલ રજૂ કરતા કહ્યું હતું કે આ સુધારા વક્ફ સંપત્તિના યોગ્ય સંચાલન માટે જરૂરી છે, જ્યારે વિપક્ષે આ બિલને લઘુમતીઓને પરેશાન કરનારું ગણાવ્યું હતું.
