Sunday, June 8, 2025
spot_img
HomeGujaratદહેગામના શિક્ષક ધર્મેશકુમારનું રાષ્ટ્રીય પરિસંવાદમાં કરાયું સન્માન

દહેગામના શિક્ષક ધર્મેશકુમારનું રાષ્ટ્રીય પરિસંવાદમાં કરાયું સન્માન

અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં અચલાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.મફતલાલ પટેલ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદ “સાંપ્રત શિક્ષણપ્રથાને અસર કરતી સંજીવની : રામકાલીન શિક્ષણ પ્રણાલી” તાજેતરમાં યોજાયો હતો. આ પરિસંવાદમાં દહેગામ તાલુકાની રામાજીનાછાપરા પ્રાથમિક શાળાના શિક્ષક ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જરે સક્રિયપણે ભાગ લીધો હતો અને શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ ધર્મેશકુમાર ગજ્જરને એડિશનલ ડાયરેક્ટર SSAM મુકેશ પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. પિયુષકુમાર કે. પટેલના શુભ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉત્તરાખંડના માનનીય પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ શિક્ષણમંત્રી ડૉ. રમેશ પોખરિયાલ, ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, માનનીય પૂર્વ મુખ્યસચિવ પી. કે. લહેરીજી અને પદ્મ પુરસ્કૃત સર્જક કટારલેખક દેવેન્દ્રભાઈ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય પરિસંવાદ શિક્ષણ જગત માટે એક માહિતીપ્રદ અને પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x