Monday, June 9, 2025
spot_img
HomeGujaratશ્રી ભટ્ટ મેવાડા સમાજ હિંમતનગર દ્વારા પાટોત્સવનું આયોજન થયું

શ્રી ભટ્ટ મેવાડા સમાજ હિંમતનગર દ્વારા પાટોત્સવનું આયોજન થયું

દેવાધિદેવ મહાદેવ શ્રી એકલિંગનાથના પાટોત્સવના પૂજન આરાધના કાર્યક્રમનું ભક્તિ શ્રધ્ધાપુર્વક આયોજન શ્રી ભટ્ટ મેવાડા સમાજ , હિંમતનગર દ્વારા શ્રી પંચદેવ મંદિર પોલોગ્રાઉન્ડ ખાતે ફાગણ વદ ચૌદસ, તારીખ ૨૮ માર્ચ ૨૦૨૫, શુક્રવારના દિવસે કરવામાં આવ્યું. સવારથી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ દ્વારા શ્રી ગણેશ, ગૌરી, માતૃકા પૂજન, પૂણ્યાહવાચન, દેવાભિષેક, રુદ્ર સ્વાહાકાર હોમ કર્મ, ઊત્તર પૂજન, પૂર્ણાહુતિ હોમ તેમજ નિરાંજન આરતી ને અંતે બ્રહ્મ ભોજનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિ જનો સંમીલિત થયાં હતાં.

આ વર્ષે મુખ્ય યજમાન તરીકે સ્વ. ભારતી (ભગવતી) બેન અશ્વિન કુમાર ભટ્ટ તથા સહ યજમાન તરીકે શ્રી સંજયભાઈ બી. ભટ્ટ, શ્રી કિરણભાઈ એ. ભટ્ટ, શ્રી ઊમંગભાઈ એચ. ભટ્ટ પરીવારે ધર્મલાભ લીધો હતોસાંયંકાળે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ એકલિંગજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સામાન્ય સભામાં નવીન કાર્યવાહક સમિતિનું સર્વાનુમતે ચયન થયું હતું.

રિપોર્ટર: સર્વાનંદ ભટ્ટ, હિંમતનગર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x