Sunday, June 8, 2025
spot_img
HomeGujaratવિવાદ ઠારવા સરકારે ઠાકોર સમાજના કલાકારોને ગૃહ જોવા આમંત્રણ આપ્યું

વિવાદ ઠારવા સરકારે ઠાકોર સમાજના કલાકારોને ગૃહ જોવા આમંત્રણ આપ્યું

તાજેતરમાં વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવાના મુદ્દે વિવાદ થયો હતો, જેમાં ઠાકોર સમાજના કલાકારોને બાકાત રાખવામાં આવ્યા હતા. અભિનેતા વિક્રમ ઠાકોરે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. હવે સરકારે આ બાબતની નોંધ લેતા વિક્રમ ઠાકોર સહિત 200થી વધુ ઠાકોર સમાજના કલાકારોને આગામી 26-27 માર્ચે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપ્યું છે. અગાઉ અન્ય કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા વિવાદ થયો હતો, જે હવે સરકારના આ પગલાથી શાંત થયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x