તાજેતરમાં વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવાના મુદ્દે વિવાદ થયો હતો, જેમાં ઠાકોર સમાજના કલાકારોને બાકાત રાખવામાં આવ્યા હતા. અભિનેતા વિક્રમ ઠાકોરે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. હવે સરકારે આ બાબતની નોંધ લેતા વિક્રમ ઠાકોર સહિત 200થી વધુ ઠાકોર સમાજના કલાકારોને આગામી 26-27 માર્ચે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ આપ્યું છે. અગાઉ અન્ય કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા વિવાદ થયો હતો, જે હવે સરકારના આ પગલાથી શાંત થયો છે.
