ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને ‘પી.એમ સૂર્યઘર યોજના’ અને ‘કેચ ધ રેન’ પ્રોજેક્ટ અંગે બેઠક યોજાઈ. કલેક્ટરશ્રીએ દરેક ગામમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજી યોજનાની માહિતી આપવા અને લોન માટે બેંક પ્રતિનિધિઓને હાજર રાખવા સૂચન કર્યું. આગામી પાંચ દિવસમાં બેઠકનું આયોજન કરાશે. કલેક્ટરશ્રીએ યોજનાની સરળ માહિતી લોકો સુધી પહોંચાડવા અને ‘કેચ ધ રેન’ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
