Sunday, June 8, 2025
spot_img
HomeGujaratગાંધીનગર: બેરોજગાર યુવાનો માટે તક: 27મી માર્ચે રોજગાર ભરતીમેળો

ગાંધીનગર: બેરોજગાર યુવાનો માટે તક: 27મી માર્ચે રોજગાર ભરતીમેળો

ગાંધીનગર: જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૭/૦૩/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેક્ટર-૧૧ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને સ્નાતક સુધીના શારીરિક સક્ષમ ઉમેદવારો ભાગ લઈ શકશે. ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ કુશળ ઉમેદવારોની પસંદગી કરશે. ઇચ્છુક ઉમેદવારો અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવે (જોબફેર આઈ.ડી JF677946212). ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે લાવવા જરૂરી છે. ગાંધીનગર જિલ્લાના નોંધાયેલા અને બિન-નોંધાયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે, તેમજ જેમને રોજગાર કચેરીમાં નોંધણી કરાવવાની ઈચ્છા હોય તેઓ પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ આવી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x