Monday, June 9, 2025
spot_img
HomeGujaratમીલેટ્સ: રોજિંદા આહારમાં શા માટે જરૂરી? જાણો..

મીલેટ્સ: રોજિંદા આહારમાં શા માટે જરૂરી? જાણો..

મીલેટ્સ, 4000 વર્ષ જૂના પરંપરાગત અનાજ, ભારતીય આહારનો મહત્વપૂર્ણ ભાગ હતા. જુવાર, બાજરી જેવા પોષક ધાન્યો હરિયાળી ક્રાંતિ પછી ઘઉં-ચોખાના વપરાશથી પાછળ રહી ગયા. મીલેટ્સ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, પરંતુ ઉત્પાદન ઘટવાથી આહારમાં તેમનું પ્રમાણ ઘટ્યું છે. આવો જાણીએ તેના ફાયદાઓ અંગે..

સામાજીક-આર્થિક દ્રષ્ટીએ મીલેટ્સના ફાયદાઓ
અન્ય લોકપ્રિય અનાજની સરખામણીમાં હલકાં ધાન્યો વરસાદ આધારિત અને સખત અનાજ છે, જેને ઓછા પાણી અને ખાતરની જરૂર પડે છે. હલકાં ધાન્યો ભારતીય આહારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ તુલનાત્મક રીતે સસ્તા છે, તેઓ વિષમ આબોહવાની પરિસ્થિતિઓ માટે અત્યંત પ્રતિરોધક છે, સરળતાથી બગડતાં નથી અને ખાધ સુરક્ષા અને દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પોષકતત્વોથી ભરપુર હલકાં ધાન્યો
હલકાં ધાન્યો એ ડાયેટરી ફાઈબર (રેસા) અને પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. હલકાં ધાન્યો એ એવા પ્રકારનો ખોરાક છે જે એસિડ બનાવતા નથી, સેલિયાક પીડિતો માટે, ઘઉં અથવા અન્ય અનાજ કે જેમાં ગ્લુટેન હોય છે તેની જગ્યાએ હલકાં ધાન્યોનો ઉપયોગ કરી શકાય છે કારણ કે, તેમાં ગ્લુટેન હોતું નથી. હલકાં ધાન્યો આંતરડાને જલયોજિત (હાઇડ્રેટ) કરીને કબજિયાત ટાળવામાં મદદ કરે છે.

મિલેટ્સના સ્વાસ્થ્ય માટે ફાયદા
હલકાં ધાન્યોમાં ઉચ્ચ એન્ટિઑકિસડન્ટ ગુણધર્મો રહેલા છે. હલકાં ધાન્યો ફોસ્ફરસ, મેગ્નેશિય અને આર્યન જેવા પોષકતત્વોનો ભંડાર છે. હલકાં ધાન્યોનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. તેનુ સેવન હૃદય રોગનું જોખમ ઘટાડે છે, ડાયાબિટીસથી બચાવે છે, પાચનતંત્ર સુધારે છે. કેન્સરનું જોખમ ઘટાડે છે. શરીરને ડિટોક્સિફાય કરે છે. સ્વાસ્થ્યમાં એનર્જી લેવલ વધારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તથા હલકાં ધાન્યોમાં રહેલું ફાઈબર કબજિયાત, અતિશય ગેસ, પેટનું ફૂલવું અને ખેંચાણ જેવી વિકૃતિઓને દૂર કરવામાં મદદ કરે છે. હલકા ધાન્યોનાં મહત્વને સમજીને તેનુ ઉત્પાદન અને ઉપભોગ વધારવા માટે ભારત સરકારની ભલામણ ઉપર યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” જાહેર કરવામાં આવ્યુ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x