Monday, June 9, 2025
spot_img
HomeGujaratગાંધીનગરના યુવાનો માટે રોજગારની સુવર્ણ તક: ભરતી મેળાનું આયોજન

ગાંધીનગરના યુવાનો માટે રોજગારની સુવર્ણ તક: ભરતી મેળાનું આયોજન

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો માટે એક સુવર્ણ તકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સ્વામિનારાયણ યુનિવર્સિટી, સઈજ, તા. કલોલ ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી મેળામાં ગાંધીનગર જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે. આ મેળામાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ., નર્સિંગ, કોઈપણ સ્નાતક, એન્જિનિયરિંગ કક્ષાના ઉત્તીર્ણ થયેલા શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે.

ઇચ્છુક ઉમેદવારો અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબફેર આઈડી JF243034204 છે.ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતી મેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે, એમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x