સુરતના શિવશકિત માર્કેટમાં આગ બાદના માર્કેટની અંદરના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો ખતરનાખ હોવાનું સામે આવ્યું છે,જેમાં સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે,માર્કેટમાં અંદર જયારે આગ લાગી અને ત્યારબાદનું તાપમાન 2000 સેલ્સિયસ જેટલું ગરમ થઈ ગયુ હતુ,તો લોંખડની એંગલ અને સળિયા બળીને ખાખ થઈ ગયા છે,822 દુકાનમાંથી 700 દુકાન આગની ચપેટમાં હતી અને આગથી માર્કેટના વેપારીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.સુરતમાં શિવશક્તિ માર્કેટનો હવાલો પોલીસને સોંપાયો છે જેમાં પોલીસ અને ફાયર FSLને સાથે રાખી સરવે કરી રહી છે,માર્કેટમાં ભીષણ આગ લાગતા કરોડો રુપિયાનું નુકસાન થયું છે,સરવે કરી આગનું સાચું કારણ શોધવામાં આવશે અને આગને પગલે 700 જેટલી દુકાનોમાં થયું નુકસાન થયું છે.

શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 32 કલાક બાદ કાબુમાં આવી હતી. આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ આગને કાબુમાં લેવા ફાયર કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી અને ખડેપગે ફરજ બજાવી હતી. આ આગની ઘટનામાં એક ફાયર ઓફિસર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના હાથમાં એક ઓપરેશન કરવામાં આવ્યું છે.સુરત શહેરના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી મોટી આગની દુર્ઘટનાને ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમોએ સતત બે દિવસની ભારે જહેમત બાદ કાબૂમાં લઈ લીધી છે. આ દુર્ઘટનામાં અનેક વેપારીઓને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને વેપારીઓ સાથે સંવાદ સાધી તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે આગને કાબૂમાં લેવા માટે દિવસ-રાત એક કરનાર ફાયર બ્રિગેડના જવાનોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી.
આ ઉપરાંત, મંત્રીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બે દિવસ એટલે કે 48 કલાક બાદ કાબુમાં આવતા તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની અનેક ટીમો છેલ્લા 48 કલાકોથી ખડેપગે હતી. ચાર માળની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ઇમારતમાં 850 જેટલી દુકાનો આવેલી છે. જેમાંથી મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીંના કાપડના વેપારીઓને 1000 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
રિપોર્ટર: તરૂણ હરસોરા, સુરત