Monday, June 9, 2025
spot_img
HomeGujaratમાધવગઢમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: શિવના નાદથી ગુંજી ઉઠ્યું ગામ

માધવગઢમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી: શિવના નાદથી ગુંજી ઉઠ્યું ગામ

માધવગઢ ગામમાં મહાશિવરાત્રીના પાવન અવસરે શિવભક્તોનું ઘોડા પૂર ઊમટ્યું હતું. ગામના નીલકંઠ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માધવગઢ ગામના શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. શિવલિંગ પર દૂધ, જળ અને બીલીપત્રનો અભિષેક કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

 

માધવગઢમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
માધવગઢમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. શોભાયાત્રામાં શિવજીની પાલખી, ભજન મંડળીઓ અને શિવભક્તોની ટોળીઓ સામેલ હતી. શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને નીલકંઠ મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ શિવના ભજનો અને કીર્તનો ગાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મહાશિવરાત્રીના આ પવિત્ર અવસરે માધવગઢ ગામમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શિવભક્તોએ શિવજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x