Monday, June 9, 2025
spot_img
HomeGujaratવલસાડમાં કુંડમાં ન્હાવા પડેલા 4 છાત્રોનું ડૂબી જવાથી મોત

વલસાડમાં કુંડમાં ન્હાવા પડેલા 4 છાત્રોનું ડૂબી જવાથી મોત

વલસાડ જિલ્લાના રોહિયાળ તલાટ ગામમાં પાંડવકુંડમાં ન્હાવા પડતાં 4 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ, વાપી શહેરની KBS કૉલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં 8 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બે રિક્ષામાં કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ રોહિયા તલાટ ગામમાં ફરવા માટે આવ્યું હતુ. જેમાંથી 4 વિદ્યાર્થીઓ અને રિક્ષાનો ડ્રાઈવર અહીંના પાંડવ કુંડમાં ન્હાવા પડ્યા હતા, જે દરમિયાન પાણીમાં ડૂબી જવાથી 4 છાત્રોના મોત નિપજ્યાં છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x