ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ખોડિયાર જયંતિ નિમિત્તે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાસુદ આઠમને ખોડિયાર જયંતિની ઠેર ઠેર અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખોડિયાર મિત્ર મંડળ
દ્વારા દર વર્ષે ખોડિયાર માતાજીના આ પ્રસંગની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. દરવર્ષની જેમ આ વખતે પણ ખોડિયાર મિત્ર મંડળ દ્વારા ખોડીયાર જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજાયેલા હવનમાં ગામના તમામ લોકો હાજર રહ્યા હતા અને માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર માધવગઢ ગામમાં આ દિવસે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજે માધવગઢ ગામમાં આ પ્રસંગને અનુરૂપ રાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
તમને જણાવી દઈએ કે,7મી સદીમાં મહા સુદ આઠમના રોજ ભાવનગરના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં ચારણ જ્ઞાતિમાં માં ખોડિયારનો જન્મ થયો હોવાની માન્યતા પ્રચલિત છે ગુજરાતના ગળધરા,માટેલ અને રાજપરા ખાતે ખોડિયાર માતાજીના સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે.
તમને જણાવી દઈએ કે,7મી સદીમાં મહા સુદ આઠમના રોજ ભાવનગરના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં ચારણ જ્ઞાતિમાં માં ખોડિયારનો જન્મ થયો હોવાની માન્યતા પ્રચલિત છે ગુજરાતના ગળધરા,માટેલ અને રાજપરા ખાતે ખોડિયાર માતાજીના સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે.