માં નર્મદા નદીના કિનારે આવેલા મા રેવા આશ્રમ, કરનાળી અને શ્રી છત્રી મહીયડ ઔદિચ્ય ટોળક મંડળના સંયુક્ત ઉપક્રમે 14 મો સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમ માં રેવા આશ્રમ, ક્ષેત્ર કરનાળી ખાતે યોજવામાં આવ્યો જેમાં 15 બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ ધારણ કરી હતી.હજારો વર્ષ જુની પરંપરા મુજબ હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો પૈકીનું ખુબ જ મહત્વ રહ્યું. યજ્ઞોપવિત સંસ્કારનું માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખુબ મહત્વ રહ્યું છે. પ્રાચીનકાળમાં જનોઇ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો. શાસ્ત્રોમાં યજ્ઞપવિત, વ્રતબંધ, બળબંધ, મોનીબંધ, ઉપવીત, ઉપનયન, બ્રહ્મસૂત્ર, જનોઇ વગેરે કહેવામા આવે છે. વેદોમાં પણ જનોઇ ધારણ કરવાની અમુક શિખામણ આપવામાં આવી છે. ‘ઉપનયન’નો અર્થ છે પાસે અથવા નજીક લઇ જવું અહીં નજીક લઇ જવાનો અર્થ બ્રહ્મ અને જ્ઞાનની નજીક લઇ જવાની વાત ધાર્મિક બાબતમાં દ્રષ્ટિ કરી છે.વ્યકિતનો પહેલો જન્મ માતાના ઉદરમાં થાય છે. જયારે યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ વ્યકિતનો બીજો જન્મ થાય છે. યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા એ ખરાબ સંસ્કારોનું મારણ કરી શુભ સંસ્કારોને સ્થાઇ કરી છે. માટે યજ્ઞોપવિત ધારણ કરનારને ‘વીજ’ કહેવાય છે સામાન્ય રીતે યજ્ઞોપવિત સંસ્કાર બાળકની આઠ વર્ષની ઉમરે કરવાનું શાસ્ત્રમાં જણાવે છે. અમુક સમાજમાં મહિલા પણ જનોઇ ધારણ કરે છે. વૈદિક કાળમાં જે વ્યકિતનો ધાર્મિક વિધિ અનુસાર યજ્ઞોપવિત સંસ્કાર ન થયો હોય એમને દ્વિજત્વથી પલિત મનાતો અને ધાર્મિક તથા સામાજીક વિશેષાધિકાર થી વંચિત રખાતો ઉપનયન સંસ્કાર આપવાની વિધી ભારે ધામધુમ થી ઉજવવામાં આવે છે. વૈદિક કાળમાં ઉપનયન સંસ્કર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમ ત્રણેય વર્ણના દરેક સંતાનોને અપાતી જયારે આજે આ સંસ્કાર બ્રાહ્મણો સહિત અમુક જ્ઞાતિ પૂરતો સીમીત થઇ ગયો છે. વર્તમાન સમયમાં આ સંસ્કાર કેળવ સામાજીક રૂઢિના પાલન માટે જ કરવામાં આવી રહ્યો તેવું જણાય છે.ક
રનાળી ખાતે યોજાયેલ યજ્ઞ પવિત્ર સંસ્કાર પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રમુખ તેમજ ડભોઇ (દર્ભાવતી) વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા), પૂજ્ય શ્રી નયનભાઈ જોષી, પરમહીત ધામ આધ્યાત્મિક સંકુલધામ, નવા માંડવા, ચાણોદ, માં રેવા આશ્રમ ના સ્થાપક શ્રી રજનીભાઈ પંડ્યા બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ મીનાબેન મહેતા, મા રેવા આશ્રમ ના સહ સ્થાપક શ્રી યોગેશ ભાઈ પંડ્યા અને પૂજય ભુવાજી હરેશભાઇ, જય સિકોતર ચેહર મેલડી ઝોપડી, મહોણી ધામ, ઢોલાર ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા.
