પારનેરા, ચણવઇ રોડ વલસાડ નિવાસી હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના દાનવીર, સમાજ સેવી, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમ કેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા થી સન્માનિત અધ્યાપક ડૉ મનોજ પી. ગોંગીવાલા પોતાના વતન ની બીનવાડા શાળા માં અભિયાસ કરતા વિધાર્થી સાથે પ્રવચન, સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રાર્થના, ભક્તિ ગીત, રામાયણ શ્રવણ પ્રસંગ રજૂ કરી પ્રશ્નોત્તરી કરી. વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહ ભેર ભાગ લઇ જવાબો આપ્યા. શાળાના આચાર્ય પટેલ શ્રી એ આભાર વ્યક્ત કર્યો.

ડૉ. મનોજે ૩૨ લાખ બિસ્કિટસ્ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમો કરી જરૂરિયાત હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે ચૈત્રી નવરાત્રી 2023 થી કરી રહ્યા છે.