મોડાસા થી ૨૫/૦૧/૨૫થી ૦૨/૦૨/૨૫ દરમિયાન કિશોર ભાવસાર અને મિત્ર મંડળ દ્વારા પૂનમ ટ્રાવેલ્સ ની સ્લીપર લક્ઝરી બસમાં પ્રયાગરાજ ગોકુલ મથુરા વૃંદાવન ખાટું શ્યામ સાલાસર બાલાજી હનુમાન જેવા પવિત્ર સ્થાનનાસફળ આયોજન કરાયું હતું પ્રયાગરાજ માં અયોધ્યા શિતલ દીદી ના ભંડારામાં ત્રણ દિવસ રોકાણ કરેલ હતું જે દરમિયાન મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે અમૃત સ્નાન નો લાભ લીધો હતો આ પ્રવાસમાં પૂર્વ ધારાસભ્ય ડિરેક્ટર સાબર ડેરી જશુભાઈ પટેલ બાબુભાઈ અમૃતભાઈ મનુભાઈ તેમનો પરિવાર તેમજ કિશોર ભાવસાર અને અન્ય ૪૦ મિત્રોએ સહપરિવારે સતત નવ દિવસ પ્રવાસ માણ્યો હતો
