ભિલોડા તાલુકાના નારસોલી ગામની પવિત્ર પાવનભૂમિ ઉપર નારસોલી ગામમાં ઠાકોર સમાજ દ્વારા આયોજિત શ્રી ભાથીજી મહારાજ, શ્રી ખોડિયાર માતાજી, શ્રી મહાકાળી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ત્રિ-દિવસીય ભવ્યાતિભવ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ લેવાનો લ્હાવો મળ્યો હતો.આ શુભ પ્રસંગે શાલ ઓઢાડી મારૂ સ્વાગત કર્યું અને ઠાકોર સમાજની પરંપરા મુજબ ગામના નવયુવાનો દ્વારા તલવાર આપી મારૂ સન્માન કર્યું તે બદલ સર્વે ગ્રામજનોનો સદાયે આભારી રહીશ તેમ ભિલોડા-મેઘરજ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પી.સી.બરંડા એ જણાવ્યું હતું.
