હિંદુ ધર્મમાં સોપારીનું વિશેષ સ્થાન છે. તે પૂજનીય છે. આ સાથે જો સોપારીનો ઉપયોગ કરીને કેટલાક અન્ય ઉપાય કરવામાં આવે તો કેટલીક સમસ્યાઓથી છુટકારો પણ મેળવી શકાય છે. ઉપરાંત, તે આર્થિક સમૃદ્ધિમાં પણ વધારો કરે છે. આ લેખમાં અમે તમને સોપારીના કેટલાક નિયમો જણાવી રહ્યા છીએ, જેના દ્વારા વ્યક્તિ જીવનની ઘણી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકે છે. સોપારી સાથે સંબંધિત યુક્તિઓ ઘણી સમસ્યાઓથી રાહત આપે છે. આ સિવાય આંખોની સમસ્યા પણ દૂર થાય છે.મહત્ત્વના કાર્યો કરે છે પૂર્ણ
મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સોપારીની યુક્તિ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ કામ માટે બહાર જતા પહેલા લાલ કપડામાં સોપારી અને લવિંગ રાખો અને ભગવાન ગણેશને અર્પણ કરો. તેમજ ભગવાન ગણેશના મંત્ર ‘ઓમ ગં ગણપતયે નમઃ’નો જાપ કરો અને ભગવાનના આશીર્વાદ મેળવીને બહાર નીકળો. આનાથી તમારા બધા કામ થવા લાગશે.દૂર કરે છે કામમાં આવતા વિઘ્નો
જો તમારા કોઈ કામમાં લાંબા સમયથી વિઘ્ન આવી રહ્યું હોય તો તમારે બુધવારે સોપારીની યુક્તિ ચોક્કસ કરવી જોઈએ. તેના માટે સોપારી પર સિંદૂર લગાવીને સ્વસ્તિક બનાવો. ધ્યાન રાખો કે સિંદૂરમાં ઘી જરૂરથી મિક્સ કરવું. આ પછી એક સોપારીને નાડાછડી સાથે બાંધીને તે જ પાન પર રાખો અને ભગવાન ગણેશને અર્પણ કરો અને તેમની પૂજા કરો.નજર લાગી ગઈ હોય તો કરો આ ઉપાય
જો કોઈ વ્યક્તિને વારંવાર નજર લાગી રહી હોય તો સોપારી લઈને તે વ્યક્તિના માથા પરથી સાત વાર ઉતારી લો અને તેને હવનમાં બાળી દો. આનાથી નજર લાગતી નથી.નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.: