Sunday, June 8, 2025
spot_img
HomeLifestyleવીગન ડાયટ શું છે? શરીર માટે કેટલું છે ફાયદાકારક કે નુકશાનકારક?

વીગન ડાયટ શું છે? શરીર માટે કેટલું છે ફાયદાકારક કે નુકશાનકારક?

Updated: May 10th, 2024

વીગન ડાયટ શું છે? શરીર માટે કેટલું છે ફાયદાકારક કે નુકશાનકારક?

Image:FreePik

Vegan Diet: વીગન એટલે શુદ્ધ શાકાહારી આહાર.વીગન ડાયટ ધરાવતા લોકો પણ ડેરી પ્રોડક્ટ પણ ખાતા નથી.વીગન ડાયટ એટલે કે શાકભાજી, અનાજ,નટ્સ અને ફળો અને છોડ આધારિત ખોરાક પર આધારિત છે. જેઓ શાકાહારી આહારનું પાલન કરે છે તેઓ માંસ, ફીસ, દૂધ, દહીં, ઘી, ચીઝ, ડેરી ઉત્પાદનો, મધ જેવા પ્રાણીઓમાંથી મેળવેલી કોઈપણ ખાદ્ય વસ્તુઓ ખાતા નથી. તેઓ વૃક્ષો અને છોડમાંથી મેળવેલા ફળો, શાકભાજી, અનાજ, બદામ વગેરે જ ખાય છે.

વીગન લોકો માત્ર ખોરાકમાં વેગન ડાયટ ફોલો કરતા નથી. કેટલાક લોકો તેમની જીવનશૈલીમાં વેગનિઝમને પણ અનુસરે છે. આટલું જ નહીં, વેગન ફોલોઅર્સ ચામડા અથવા તેના ઉત્પાદનો, ઊન, મોતી વગેરે જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરતા નથી. તેમનો એ તર્ક છે કે, આ વસ્તુઓ પ્રાણીઓને નુકસાન પહોંચાડીને પ્રાપ્ત થાય છે

વેજ અને વીગન વચ્ચેનો તફાવત

વીગન આહાર ફક્ત આવા ખાદ્ય પદાર્થો પર આધારિત છે, જે છોડમાંથી સીધા જ મેળવવામાં આવે છે અથવા છોડ આધારિત ખોરાકમાંથી બનાવવામાં આવે છે. ઘણી વખત લોકો વીગન અને શાકાહારીને સમાન માને છે, પરંતુ વીગન અને શાકાહારી સમાન નથી. શાકાહારીઓ પણ તેમના આહારમાં ચીઝ, માખણ, દૂધ, દહીં, મધ જેવી વસ્તુઓ ખાય છે.

atmos.earthના રિપોર્ટ અનુસાર, ‘વેગન’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 50ના દાયકામાં થયો હતો. પરંતુ તેના મૂળ પ્રાચીન ભારતીય અને પશ્ચિમ એશિયન સંસ્કૃતિઓમાં પાછા જાય છે. ભારતમાં, હિન્દુ સંતો, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને જૈન અનુયાયીઓ ઘણી સદીઓ પહેલા આવો ખોરાક ખાતા હતા. તેમના ખોરાકે બાકીના એશિયા તેમજ યુરોપમાં શાકાહારી આહારને પ્રભાવિત કર્યો છે. યુરોપમાં શાકાહારી ખાવાનો વિચાર પ્રાચીન ગ્રીસમાંથી આવ્યો હતો. ગણિતનો પ્રખ્યાત સિદ્ધાંત ‘પાયથાગોરસ પ્રમેય’ આપનાર પાયથાગોરસે શાકાહારને વ્યાપકપણે પ્રોત્સાહન આપ્યું છે.

Article Content Image

વીગન ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો

અમેરિકામાં થયેલા એક સંશોધન મુજબ છેલ્લા 3 વર્ષમાં શાકાહારી લોકોની સંખ્યામાં 600 ટકાનો વધારો થયો છે. જ્યારે બ્રિટનમાં 400%નો વધારો થયો છે. વેગન એસોસિએશનના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં 95 કરોડ લોકો વીગન ડાયટ ફોલો કરે છે. તે જ સમયે, 1 નવેમ્બરના રોજ ‘વર્લ્ડ વેગન ડે’ પણ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

વીગન ડાયનના ફાયદા 

વીગન આહાર વિશે કહેવાય છે કે, તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જો કે એક અહેવાલ અનુસાર, માંસાહારી, શાકાહારી અને વેગન લોકો પર કરવામાં આવેલ એક સંશોધન દર્શાવે છે કે, જે લોકો વનસ્પતિ આધારિત ખોરાક પર નિર્ભર છે એટલે કે, શાકાહારી લોકોને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે, વિટામિન ડી, વિટામિન બી12 અને આયોડીનની ઉણપ હોઈ શકે છે. પરંતુ જે લોકો વેગન ડાયટ ખાય છે તેમને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું હોય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x