મોડાસા તાલુકાના સરડોઈ ગામે ગુરુદત્ત આશ્રમે પૂ.વિશ્વબંધુ જયશંકર બાબાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી.આ પ્રસંગે યોજાયેલ સંતવાણી કાર્યક્રમમાં કલાકાર સાગર નાયક, કમલ નાયક અને રવી નાયક સહિત નાયક સમાજના કલાકારોએ માંડી રાત સુધી ભજનભાવની રમઝટ બોલાવી હતી. આશ્રમ ખાતે સાંજે આરતી,મહાપ્રસાદ બાદ યોજાયેલા સંતવાણી કાર્યક્રમમાં મહંત લક્ષ્મણભારતી, મહંત નાગેશ્વરગીરી ,મહંત ભરતનાથ સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
