11 મહારૂદ્ર યજ્ઞ, 121 લધુરૂદ્ર યજ્ઞ સમાન 1અતિરૂદ્ર મહાયજ્ઞ નું મોટું મહ્ત્વ રહેલું છેયજ્ઞ એ ભારતીય સંસ્કૃતિ નું પ્રતીક છેઆપણા હિંદુ ધર્મ માં જેટલી મહાનતા યજ્ઞ ને આપવામાં આવી છે તેટલી મહાનતા બીજા કોઈ પણ ને આપવામાં આવેલ નથી. આપણું કોઈ પણ શુભ ધમૅ કાર્ય યજ્ઞ વીના પરિપૂર્ણ થતું નથી. ત્યારે અતિ રુદ્ર મહાયજ્ઞમાં શિવની ઉપાસનાનું અનેરૂં મહત્વ રહેલું છે.અતિરૂદ્ર મહાદેવજીને ખુબ પ્રિય છે. જે મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ એટલે અતિરૂદ્ર તે પણ આપણાં મોડાસા નગરમાં તા. ૧૧/૧૨/૨૪ થી ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ પૂર્ણાહુતિ થશે.અતિરૂદ્ર મહા યજ્ઞ થી ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માં આવે છે.શિવજીને સકારાત્મક ઉર્જા નો વિકાસ કરવા ની અને પ્રાર્થના કરવાની આ એક સનાતની ધાર્મિક પધ્ધતિ છે. એકવાર દર્શન કરવાથી અલૌકીક શક્તિનાં દર્શન…! શિવજીનાં પાંચ ભેદ છે._રૂદ્ર — રૂપમ — રૂદ્રી — મહા રૂદ્ર — અતિરૂદ્ર જે આ અતિરૂદ્ર મહા યજ્ઞ માં ભગવાન શિવ હાજરી આપે આપે અને આપે છે. જેના દર્શન કરવા જરૂરી છે. આ યજ્ઞ ધ્વારા ભગવાન શિવનું સન્માન કરે છે. વાતવરણ ને શુદ્ધ કરવા અને દૈવી આશિર્વાદ વહન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દેવતા ઓ ને સમર્પિત કરવા અને યજ્ઞ માટે પવિત્ર રીત નક્કી કરવા માટે પૂજા પ્રમાણભૂત સ્વાગત વિધિઓ સાથે પ્રારંભ કરવાનો એક અનોખો અવસર મોડાસા નગર ના શ્રી અશોકભાઈ જોષી ના પરિવાર ને પ્રાપ્ત થયો છે.અતિરૂદ્ર યજ્ઞના આચાર્ય શ્રી અગ્નિહોત્રી આત્રેય કુમાર (શ્રી કૃષ્ણાશ્રમ બોલુન્દરા) અને 175 ભૂદેવ આ યજ્ઞ મા જોડાશે.મોડાસા નગરની ભાવિક જનતા આ અતિરૂદ્ર મહા યજ્ઞ યાત્રા માં જોડાશે. અતિ રુદ્ર યજ્ઞ નો પ્રારંભ તા. ૧૧/૧૨/૨૪ બુધવાર થી શરુ થશે અને તા ૧૫/૧૨/૨૪ ના રોજ પૂર્ણાહુતિ થશે.ગીર ગાયના છાણમાંથી સમગ્ર યજ્ઞશાળાનું જમીનના ભાગનું લિપણ કરવામાં આવ્યું છે યજ્ઞમાં ગીર ગાયના ઘીનો ઉપયોગ થશે. આ યજ્ઞની અંદર કાળા તલ, ઘી, કપૂર, ઘુઘળ સહિતની કુલ 8 વસ્તુથી 25 લાખ આહુતિ આપવામાં આવશે. મોડાસા નગર માં સનાતની ધર્મની આગવી વિશેષતા ના દર્શન કરાવતા અતિ રુદ્ર યજ્ઞનો દર્શન નો લાભ લેવા સમગ્ર અરવલ્લી જિલ્લાની ધર્મપ્રેમી પ્રજાને આમંત્રણ પાઠવ્યુ છે.
