સરસ્વતી બાલ મંદિર ખાતે ડાયાબિટીસ નિદાન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા નિવારણ અભિયાન અંતર્ગત યોગ શિબિર 14 તારીખથી ચાલુ છે અને 28 તારીખ સુધી ચાલુ રહેવાની છે.જેમાં નગરના પત્રકારો પ્રોફેસરો ડોક્ટર્સ વેપારીઓ અને ગૃહિણીઓ સવારે છ થી આઠ ની વચ્ચે લાભ લઈ રહ્યા છે. તેમને વિવિધ યોગ પ્રાણાયામ પોષણ અને આહાર આલ્કલી આહાર ની સમજણ વગેરે શીખવવામાં આવે છે તેમના બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે તદ ઉપરાંત તેમના બોડી પેરામીટર્સ જેવા કે શરીરની ચરબી ,શરીરના સ્નાયુ, શરીરમાં પાણીના ટકા, શરીરમાં સ્નાયુનું પ્રમાણ, પ્રત્યેક વ્યક્તિનો bmi તથા bmr તેના શરીરમાં રહેલા કેલ્શિયમનું પ્રમાણ અને અંદરના અવયવો ની ચરબી જેને વિસરલ ફેટ તરીકે ઓળખવામાં આવે છે અને તે ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર જેવા જટિલ રોગો માટે જવાબદાર છે તે બધાની સમય પહેલા જ ખબર પડી જાય છે. તે બધાનું ટેનીટા મોનિટરથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું અને જે પ્રમાણ રેગ્યુલર ન હોય તેને સુધારવા માટે ના ઉપાયો જણાવવામાં આવ્યા. ટેનીટા બોડી પેરામીટર્સ ઉપરના ટેસ્ટનું સંચાલન ડો.હરિલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું. તેમાં ધર્મેન્દ્રભાઈ અને નવીનભાઈ તથા રાજુભાઈ સહાયક હતા. શરીર અને આરોગ્યની ઉચિત સમજણથી માણસ નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે. આજે રેડક્રોસના અધ્યક્ષ શ્રી ભરતભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ટેનીટા મોનિટર પર બધા જ જરૂરી ટેસ્ટ કરાવ્યા હતા. પ્રોગ્રામનું સંચાલન શ્રી જયેન્દ્રભાઈ મકવાણાએ કર્યું હતું. શરીરની ઊંચાઈના પ્રમાણમાં વજન વધારે હોય તો ખોરાકથી જ કઈ રીતે ઓછું કરી શકાય તેની સમજણ આપવામાં આવી હતી. 28 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે તો નગરજનો હજુ પણ તેનો લાભ લઈ શકે અને પોતાના આરોગ્ય માટે વધારે સજાગ બની તંદુરસ્ત નાગરિક તરીકેની ફરજ બજાવી શકે. આ શિબિરમાં રોજ જુદા જુદા ઔષધી તથા રસ તથા કવાથ ઉકાળા પણ આપવામાં આવે છે.
