Monday, June 9, 2025
spot_img
HomeNewsશામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના મહા મેળામાં પહેલા દિવસે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓનું દર્શને...

શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના મહા મેળામાં પહેલા દિવસે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓનું દર્શને ઘોડાપુર ઉમટયું.

અરવલ્લી જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે,કારતકી પૂનમ સુધી ભરાતા ઐતિહાસિક પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મહામેળામાં,આજે પહેલા દિવસે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓનું દર્શને ઘોડાપુર ઉમટયું હતું.વહેલી સવારથી જ પિતૃતર્પણ અને માનતાઓ લઈ આવેલા અરવલ્લી સહિત ગુજરાતભરના શ્રદ્ધાળુઓએ પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરી,ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x