અરવલ્લી જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે,કારતકી પૂનમ સુધી ભરાતા ઐતિહાસિક પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મહામેળામાં,આજે પહેલા દિવસે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓનું દર્શને ઘોડાપુર ઉમટયું હતું.વહેલી સવારથી જ પિતૃતર્પણ અને માનતાઓ લઈ આવેલા અરવલ્લી સહિત ગુજરાતભરના શ્રદ્ધાળુઓએ પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરી,ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
