ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ સેવક શિશપાલ ચેરમેન શ્રી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન તારીખ 14/ 11/ 2024 થી તારીખ 28/11/2024 દરમ્યાન 15 દિવસ સુધી સવારે 6 થી 8 ચલાવવામાં આવશે ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરમાં સરસ્વતી સ્કૂલ રત્નદીપ શાખામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત ડાયાબિટીસ નિવારણ યોગ શિબિરમાં ભાગ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે આ શિબિરમાં 100 લોકોના સમાવિષ્ટ કરવામાં આવશે જે લોકોએ ડાયાબિટીસ નિવારણ યોગ શિબિરમાં ભાગ લેવો હોય તો રજીસ્ટ્રેશન ફરજિયાત છે યોગ શિબિરમાં મેડીકલ ટીમ દ્વારા ડાયાબિટીસની પ્રથમ દિવસે તપાસ કરવામાં આવશે ત્યારબાદ છેલ્લા દિવસે પણ ડાયાબિટીસની તપાસ કરવામાં આવશે તેમાં દિનચર્યા,ઋતુચર્યા તથા નિષ્ણાતો દ્વારા અલગ-અલગ માર્ગદર્શન આપવામાં આવશે આ 15 દિવસની યોગ શિબિરમાં જાહેર જનતાને અરવલ્લી જિલ્લા ના કોચ જયેન્દ્રભાઈ મકવાણા સર્વને અનુરોધ કરે છે કે આપણે સૌ આપણે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરીએ…સંપર્ક 9879651893
