ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લી અને સાબરકાંઠા દ્વારા “ફૂડ સેફ્ટી પખવાડિયું” ના ભાગ રૂપે રેડ નો દોર ચાલુ રાખી તા.૯/૧૦/૦૨૪ ના રોજ મસાલા તેજાના ના વેપારીઓએ ત્યાં તપાસ નો દોર ચાલુ રાખવા માં આવેલ અને મસાલા તેજાના ના અરવલ્લી જિલ્લા માંથી ઉત્પાદક,હોલસેલ તથા રિટેલ વેપાર કરતા વેપારીઓ ને ત્યાંથી ૬ ફોર્મલ તથા ૧૫ સર્વે લન્સ નમૂના લઇ તપાસ માટે મોકલ્યા
તથાસાબરકાંઠા જિલ્લા માંથી પણ મસાલા તેજાના ના ૪ ફોર્મલ અને ૧૦ સર્વેલન્સ નમૂના મળી કુલ ૧૪ નમૂના તપાસ માટે મોકલ્યાઆમ એક દિવસ માં મસાલા તેજાના ના ૩૫ નમૂના લઇ તપાસ માટે લેબોરેટરી માં મોકલ્યાનમૂના ના પરિણામ આવ્યે થી આગળ ની કાર્યવાહી કરવામાં આવશે. મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ રમઝટ નવરાત્રી મહોત્સવ ના ખાણીપીણી બજારમાં તપાસ આરંભાઇ છે થોડા દિવસ પહેલા આ સ્ટોલ પર પીરસાતી વાનગીઓની ક્વોલિટી બાબતે વ્યાપક બૂમ ઉપડેલ હતી
