Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી: તત્વ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીકલ સ્ટડીઝ, મોડાસા માં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન...

અરવલ્લી: તત્વ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીકલ સ્ટડીઝ, મોડાસા માં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ

26 સપ્ટેમ્બર,2024 ના રોજ તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીકલ સ્ટડીઝ, મોડાસા અને અરવલ્લી ક્ષેત્રની CED (સેન્ટર ફોર એન્ટરપ્રેનરશિપ ડેવલપમેન્ટ) શાખા દ્વારા “ઉદ્યોગસાહસ વિકાસ સેમિનાર” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વકતા તરીકે સીએડીના સહાયક તાલીમ અધિકારી શ્રી મેહુલ પંડ્યા હાજર રહ્યા હતા, જ્યારે સીએડીના કાર્યકારી શ્રી મોહમ્મદ રશિદ મલેક પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં તત્વ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય પ્રોફ. હરેન્દ્રસિંહ ચૌહાણ, ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ પ્રોફ. ભરતભાઇ દરજી, તેમજ વિવિધ શાખાઓના વડા અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં એન્જિનિયરિંગના વિવિધ શાખાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SSIP કો-ઓર્ડિનેટર પ્રોફ. અંકિતા શાહ અને પ્રોફ. પ્રતિક ચૌહાણે મુખ્ય ભુમિકા નિભાવી હતી.મુખ્ય વક્તા શ્રી મેહુલ પંડ્યાએ ઉદ્યોગસાહસના મહત્ત્વ, વ્યવસાયિક કુશળતા, અને સફળ ઉદ્યોગસાહસિક બનવા માટેની મક્કમ નીતિઓ વિષે માહિતગાર કર્યા. વિદ્યાર્થીઓએ સેમિનારમાં તેમની જિજ્ઞાસાઓ પૂરી કરીને ઉદ્યોગસાહસના પાયામાં નવા પ્રવૃત્તિઓ જાણવાની તક મેળવી.આ સેમિનારની સફળતા માટે તત્વ ઇન્સ્ટિટ્યૂટ અને સીએડી ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x