ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ખુશીમાં આજે સમગ્ર દુનિયામાં ઈદે મિલાદ પર્વ મનાવવામાં આવી રહ્યો છે
સવારે મોડાસાના મુસ્લિમ વિસ્તારમાં નિયત રૂટ પ્રમાણે સવારે ઈદે મિલાદ નું ભવ્ય જુલુસ નીકળ્યું હતું
મોડાસાની મસ્જીદોમાં હજરત મુહમ્મદ સાહેબના બાલ મુબારક ના દર્શન કરાવવામાં આવ્યા હતા
બપોર બાદ દાવતે ઈસ્લામી નું જુલુસ નીકળ્યું હતું તેમાં મોડાસા મેઘરજ માલપુર ટીંટોઈ સહિતના ગામોના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તેમજ દાવતે ઈસ્લામી દ્વારા અરવલ્લી જિલ્લા પોલીસ એ.એસ.પી સંજયભાઇ કેશવાલા નો સન્માન કરવામાં આવ્યું હતું
ઈદે મિલાદ નું જુલુસ કસ્બા. વહોરવાડ. ધાચીવાડાના વિસ્તારમાં ફેરવવામાં આવ્યું હતું
ઈદે મિલાદ પર્વના બાર દિવસ સુધી મસ્જિદો.ઘરો અને રસ્તાઓ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા હતા.
