શ્રાવણના ઝરમરિયા વચ્ચે શ્રાવણના છેલ્લા દિવસે મોડાસા યોગ પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ સાઈ મંદિર હોલમાં ભવ્ય વિજય રીતે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમનું ઉદ્ઘાટન, જીવદયા પ્રેમી અને સરસ્વતી બાલ મંદિરના પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી, ભરતભાઈ પરમાર અને હાઇકોર્ટના વકીલ શ્રી ભરતભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું. કિશોર ક્રિષ્ના, યુવા ક્રિષ્ના અને યોગેશ્વર ક્રિષ્ના ના જીવનની આસપાસ ફરતા પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આ ભક્તિ યુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના કોઓર્ડીનેટર તરીકે શ્રી વિનોદભાઈ ભાવસાર, ડોક્ટર ગોવિંદભાઈ ,શ્રી પંકજભાઈ, ધર્મેન્દ્રભાઈ અને ડો. હરિલાલ પટેલે ફરજ બજાવી હતી. ઉમા કેળવણી મંડળના મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરી અને સેન્ટ્રલ બેન્કના એક્સ મેનેજર શ્રી મહેશભાઈ પટેલે પ્રતિભાવો આપ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન શિલ્પાબેન દક્ષિણી, પિનલ સોની, ચંદ્રિકાબેન ,મીનાબેન અને કૈલાશબેને કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર મોટાભાગના કલાકારો સિનિયર સિટીઝન હતા ,ઉંમર માત્ર આંકડો છે ગમે તે ઉંમરે ઉત્સાહ અને ચૈતન્યથી કામ કરી શકાય તે દર્શાવવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણનું પૂજન આપણી કર્મકુશળતાથી કરી શકાય, આપણું કર્તવ્ય ભગવાનના ચરણે ધરીને કરી શકાય તેને કેન્દ્રમાં રાખીને સમગ્ર આયોજન થયું હતું. .શ્રી વસંતભાઈ પ્રોફેસર, શ્રી વસંતભાઈ પ્રગતિ મંડળના પ્રમુખશ્રી ,શ્રી કમલેશભાઈ (સીએ) , શ્રી મણીભાઈ ભાજપ કોર્ડીનેટર વિગેરે અગ્રગણ્ય નાગરિકોએ કાર્યક્રમ માણ્યો હતો. ક્રિષ્ના ઉપર ચાલતા મુકદ્દમાના બચાવ પક્ષના વકીલ તરીકે શ્રી મહાદેવ મહેશ્વરીએ અભિનય કર્યો હતો અને કૃષ્ણને શાશ્વત ધર્મ ગોતા અને સમગ્ર દુનિયાના માર્ગદર્શક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા અને કૃષ્ણમ વંદે જગતગુરુ શા માટે કહી શકાય તેની
