Friday, June 13, 2025
spot_img
HomeGujaratમહીસાગર : લુણાવાડામાં ફુવારા યુવક મંડળ દ્વારા ભવ્ય ગણેશજીની આગમન યાત્રા યોજવામાં...

મહીસાગર : લુણાવાડામાં ફુવારા યુવક મંડળ દ્વારા ભવ્ય ગણેશજીની આગમન યાત્રા યોજવામાં આવી

જેમ જેમ ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે તેમ તેમ ગણેશ મંડળો દ્વારા ગણપતિજીની પધરામણીને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ ગણેશજીની સ્થાપના માટે જે મૂર્તિ લાવવામાં આવે છે. તે મૂર્તિના પણ ભવ્યાતીભવ્ય આગમન સાથે તેને વાજતે ગાજતે પંડાલ સુધી લાવવામાં આવે છે. ત્યારે લુણાવાડા શહેરમાં અલગ અલગ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની આગમન યાત્રા યોજવામાં આવી રહી છે અને બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

લુણાવાડા શહેરના ફુવારા યુવક મંડળ દ્વારા ભવ્ય ગણેશજીની આગમન યાત્રા યોજવામાં આવી હતી. જેમાં શહેરના ચાર કોસિયા નાકાથી બસ સ્ટેશન, દરકોલી દરવાજા હાટડિયા બજાર, નગર પાલિકા થઈ આ આગમન યાત્રા ફુવારા ચોક પહોંચી હતી. જેમાં ફુવારા યુવક મંડળના તેમજ શહેરની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. ડીજેના તાલે નાચગાન સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી લુણાવાડા શહેરની ગલીઓ ગુંજી ઊઠી હતી. બીજી તરફ ભારે આતશબાજી સાથે ભવ્ય યોજાતા લોકો પણ મોટી સંખ્યમાં બાપ્પાના દર્શન કરવા અને આગમન યાત્રા નિહાળવા માટે ઉમટી પડ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x