Sunday, June 8, 2025
spot_img
HomeGujaratમાણસાના ખેડૂત આગેવાનોએ પાકને થયેલ નુકસાન મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું

માણસાના ખેડૂત આગેવાનોએ પાકને થયેલ નુકસાન મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું

માણસા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયેલ છે. જેમ કે કપાસ, એરંડા, મગફળી, ચોમાસામાં કઠોળ તેમજ શાકભાજી જેવા પાકોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને પણ મોટું આર્થિક નુસાન વેઠવાનો વારો આવ્યો છે.

માણસા તાલુકાના તમામ ખેડૂત આગેવાનોએ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું અને થયેલ નુકસાન પેટે વળતર આપવા આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં ખેડૂત આગેવાન પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x