માણસા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયેલ છે. જેમ કે કપાસ, એરંડા, મગફળી, ચોમાસામાં કઠોળ તેમજ શાકભાજી જેવા પાકોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને પણ મોટું આર્થિક નુસાન વેઠવાનો વારો આવ્યો છે.

માણસા તાલુકાના તમામ ખેડૂત આગેવાનોએ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું અને થયેલ નુકસાન પેટે વળતર આપવા આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં ખેડૂત આગેવાન પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.