Tuesday, June 10, 2025
spot_img
HomeNewsIMFના ગીતા ગોપીનાથે ભારત માટે કર્યું મોટુ નિવેદન.......

IMFના ગીતા ગોપીનાથે ભારત માટે કર્યું મોટુ નિવેદન…….

 ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથનું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું કે ભારતને આર્થિક વિકાસના માર્ગ પર આગળ વધવા અને દેશમાં પર્યાપ્ત રોજગાર સુનિશ્ચિત કરવા માટે વધુ સુધારા કરવાની જરૂર પડશે. એક કાર્યક્રમને સંબોધતા ગોપીનાથે કહ્યું કે જો ભારત વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મહત્વપૂર્ણ ભાગીદાર બનવા માંગે છે તો તેણે આયાત શુલ્ક ઘટાડવું પડશે. તેમણે કહ્યું કે માળખાકીય સુધારાના સંદર્ભમાં, સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. ડૉ.ગીતા ગોપીનાથે કહ્યું છે કે ભારત 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત પહેલેથી જ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં તે ટોચની ત્રણ વૈશ્વિક આર્થિક શક્તિઓમાં સામેલ થવા જઈ રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x