મોડાસામાં પૌરાણિક અને આસ્થા નું પ્રતીક સમાન બાલકનાથજી મંદિરમાં પ્રતિ વર્ષની જેમ શ્રાવણ માસના દરેક દિવસે લાલજીના અલગ અલગ ચીજ વસ્તુઓ ફ્રૂટ શાકભાજી સહિતના વેરાઇટીઝ કલાત્મક હિંડોળા સજાવવામાં આવતા હોય છે જેના દર્શનનો નગરમાંથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લઇ ધન્યતા અનુભવતા જોવા મળે છે .
આ કલાત્મક હિંડોળા સજાવવા અને આકર્ષણરૂપ બનાવવામાં આર્ટિસ્ટ દિલીપભાઈ ભાવસાર અને તેમના સહાયક સુરેશ પટેલ ભારે જહેમતત ઉઠાવી આ કલાકારીગરી કરતા હોય છે બાલકનાથજીમંદિરના ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્ર ભાવસાર આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં અને વ્યવસ્થામાં સુંદર રીતે કામગીરી બજાવે છે આ હિંડોળાના દર્શનાર્થે શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો સમન્વય બની રહે છે.
