Monday, June 9, 2025
spot_img
HomeGujaratનારિયેળીના પાકમાં કાળા માથાની ઇયળનો ઉપદ્રવ, નિષ્ણાતે આપી આ સલાહ

નારિયેળીના પાકમાં કાળા માથાની ઇયળનો ઉપદ્રવ, નિષ્ણાતે આપી આ સલાહ

ભાવનગર: ગુજરાતમાં નારિયેળીનું વાવેતર 20,932 હેક્ટર વિસ્તારમાં છે. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવાના દરિયા કિનારા વિસ્તારમાં નારિયેળીનું ઉત્પાદન વધુ થાય છે.

News18 Gujarati

દરિયા કિનારાનું હવામાન અનુકૂળ આવતા નારિયેળીનું મહુવા,તળાજા પંથકમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણે નારિયેળીનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ નારિયેળીનું વાવેતર થાય છે અને નારિયેળનું ઉત્પાદન મેળવે છે.

News18 Gujarati

ભાવનગર જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલ નારિયેળના વાતાવરણમાં હાલમાં પડતો આવતા નારિયેળીના પાકમાં કાળા માથાની ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

News18 Gujarati

કાળા માથાની ઇયળના નિયંત્રણ માટે શું કરવું? તેની સલાહ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મહુવાના કૃષિ નિષ્ણાત વિપુલભાઈ બાંભણિયાએ ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે.

News18 Gujarati

નાના રોપામાં હાથથી જાળ કરી ઇયળના ઉપદ્રવનો નાશ કરવો જોઈએ તથા સુકાઈ ગયેલા પાનનો ખેતર બહાર નાશ કરવો જોઈએ. આ પાનને સળગાવી દેવા જોઈએ. નાના ઝાડ ઉપર 12.5 મિલી લિટર 10 લિટર પાણીમાં મોનો ક્રોટોફોસ ભેળવીને છંટકાવ કરવો જોઈએ.

News18 Gujarati

15 વર્ષથી નાની ઉંમરના ઝાડને પાંચ એમએલ તથા 15 વર્ષથી ઉપરના ઝાડના પાને પાણીમાં મિશ્રણ કરીને છંટકાવ કરવો જોઈએ. લાલ કલરનો જુબાન મૂળ વાળો છોડ પસંદ કરવો જોઈએ.

News18 Gujarati

ભલામણ મુજબ દવાનું મિશ્રણ પ્લાસ્ટિકની બેગમાં લેવું જોઈએ. દવાનો છંટકાવ કર્યા બાદ 45 દિવસ સુધી ફળનો ઉતારો કરવો નહીં.  60 દિવસના અંતરે ત્રણથી ચાર વાર આ છોડને દવાનો છંટકાવ કરવો જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x