સાબર ડેરી દ્વારા પશુપાલકોને જીવન દોરી સમાન ગણાતા દૂધના ભાવના વધારા મળવાની આશા હોય છે કારણ કે અત્યારે આ કારમી મોંઘવારીમાં ઢોરઢાખરને ખાવા માટે ઘાસચારો અથવા તો ખાંડ જેવી વસ્તુઓ અત્યારે સૌથી મોંઘી બની છે ત્યારે દૂધની ડેરી દૂધની થેલી પાછળ તો ભાવ વધારે છે પરંતુ પશુપાલકોને ભાવ વધારો આપતી નથી જેના કારણે પશુપાલકોને તેમના હડતાલ રૂપી શસ્ત્ર મુકવાનો વારો આવ્યો છે અને પશુપાલકો કહી રહ્યા છે કે સરકાર પાછળ ખોટા તાયફા ખર્ચા કર્યા વગર જો ખરેખર આ

પશુપાલકોને ભાવ વધારો મળે તો પશુપાલકોને આત્મહત્યા કરવાનો વારો ન આવે.
દૂધ ઉત્પાદક મંડળી ના સેક્રેટરી તથા દૂધ ઉત્પાદકો એવું કહી રહ્યા છે કે ડેરીની અંદર બધા અધિકારીઓની ચૂંટણી કરી અને તેમને તેમનું સ્થાન આપવામાં નથી આવ્યું જેના કારણે આ ભાવ વધારો અટકી રહ્યો છે તેઓનું વધુમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જો ખરેખર આ સાબર ડેરીમાંથી ભ્રષ્ટાચાર અટકે તો દૂધ ઉત્પાદકો કે પશુપાલકોને તેમને પૂરતો ન્યાય મળે તેવો છે