Monday, June 9, 2025
spot_img
HomeNewsઅરવલ્લીના ભિલોડા સિલાસણ ગામમાં વૃક્ષારોપણનો સામુહિક કાર્યક્રમ યોજાયો

અરવલ્લીના ભિલોડા સિલાસણ ગામમાં વૃક્ષારોપણનો સામુહિક કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જીલ્લા ભિલોડા તાલુકાના સિલાસણ ગામમાં ચોમાસાની સિઝન દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.તા.૧૨મી જુલાઈના રોજ માધવ વૃંદ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ આનંદ, ઉત્સાહભેર યોજાયો હતો.સિલાસણ ગામમાં જાગૃત ગ્રામજનોએ વૃક્ષારોપણ દરમિયાન સામુહિક રીતે ભાગ લીધો હતો.છોડ માં રણછોડ, ઝાડ માં જગદીશ, પાન માં પ્રભુ એવા અંતર-ભાવ સાથે આત્માના ભાવ સાથે ધાર્મિક રીતે પુજન વિધિ કરીને વૃક્ષોના છોડવા રોપવામાં આવ્યા, દરેક રોપાની ઉછેરની જવાબદારી દરેક સભ્યને આપવામાં આવી હતી.સિલાસણ ગામના સામાજીક આગેવાન અનિલભાઈ ભટ્ટ, જસુભાઈ પ્રજાપતિ, હિરેનભાઈ પટેલ, બિરેનભાઈ પટેલ, બિપિનભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ સહિત ગ્રામજનો, સિલાસણ ગામના મંદિરના પુજારીએ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આનંદ, ઉત્સાહભેર ભાગ લીધો હતી.

પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત એક પેડ માં કે, નામ કાર્યક્રમ અંતર્ગત ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ ગામે ગામ રોપો, સાથે-સાથે અવશ્ય જતન કરો, ઉનાળા દરમિયાન ભીષણ ગરમી અટકાવો, ચોમાસામાં વધુમાં વધુ વરસાદ લાવોના સુત્રને સાર્થક કરવાનો ભગીરથ સેવાકીય અભિગમ સિલાસણ ગ્રામજનોએ ઉત્સાહભેર દાખવ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x