માણસા આનંદી માઁના વડલે સિવણ વર્ગની બીજી બેચનો પ્રારંભ થયો હતો. જનશિક્ષણ સંસ્થાન ગાંધીનગરના સહયોગથી જરૂરિયાતમંદ બહેનો આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સિલાઈકામની તાલીમ મેળવી સ્વરોજગાર પ્રાપ્ત કરી શકે તેવા શુભાશયથી માણસા આનંદી માઁના વડલે સિવણ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. જે બીજી બેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એપીએમસી વાઈસ ચેરમેન બી કે પટેલે બહેનોને સ્વાવલંબી બની પરિવારને પુરક બનવાની જે તક મળી છે તેમાં પુરતું ધ્યાન આપી તાલીમ લેવા અનુરોધ કર્યો હતો. ભાજપ શહેર પ્રમુખ એલ.એચ.પટેલે પ્રાસંગિક પ્રવચનમાં સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસના વિચારની સરાહના કરી તાલિમાર્થી બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.


ભાજપા અગ્રણી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે સૌ મહાનુભાવોને આવકારી આનંદી માઁના વડલાની સેવાઓની વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં મહામંત્રી મોતીલાલ પુરોહિત, વિનોદભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.